Breaking News

આજ જગન્નાથ પ્રભુ ફરશે નગરમાં,

આજ જગન્નાથ પ્રભુ ફરશે નગરમાં,

આજ મેઘ મહેરબાન થશે નગરમાં.

 

ભક્તોની સંખ્યામાં સ્વંય રથથી ઉતરી,

ગુપ્ત રીતે તેઓ સંગ ચાલશે નગરમાં.

 

મૂર્તિ અધુરી રહેલી પરંતુ પ્રાણ છે એમાં,

મૂર્તિકાર ને રાજાની ચર્ચા બનશે નગરમાં.

 

ચોખાની ખીચડીનો ભોગ માતાનાં હાથે,

ફરીએકવાર એ રહસ્ય ખુલશે નગરમાં.

 

હૃદય શ્રીકૃષ્ણનું ધબકતું તેજોમય,

અનંત કાળ સુધી ‘કિરણ’ રહેશે નગરમાં.

 

✒️ કિરણ ચોનકર “દિવાની”

(ધરમપુર)

About admin

Check Also

बलात्कार के प्रकरण में लंबे समय से फरार आरोपी गिरफ्तार

Jdnews Vision…. बिलासपुर (छ.ग.) :  बलात्कार के प्रकरण में लंबे समय से फरार आरोपी गिरफ्तार। …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *